Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) મૈસુર, તા.૨
બુધવારે મૈસુરના મુક્તગંગોત્રી ખાતે કર્ણાટક રાજ્ય ઓપન યુનિવર્સિટી (KSOU)ના વહીવટી બ્લોકની સામે અનેક દલિત અને પ્રગતિશીલ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં યુનિવર્સિટી વહીવટ પર યુનિવર્સિટીનું ભગવાકરણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. તેઓએ આરોપ લગાવ્યો કે VCશરણપ્પા વી હાલસેએ પોતાના અંગત ફાયદા માટે દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવ દર્શન’ પરના વ્યાખ્યાનોના ૬૦ વર્ષ પૂર્ણ થવાના સંમેલનને મંજૂરી આપી અને રાજ્ય સરકારને તેમની સામે કડક પગલાં લેવા વિનંતી કરી. યુનિવર્સિટીની સામે એકઠા થયેલા કાર્યકરો, લેખકો અને કલાકારોએ ફઝ્ર વિરૂદ્ધ ‘એકાત્મ માનવ દર્શન : ભારતનું વિશ્વ દૃષ્ટિકોણ’ કાર્યક્રમને મંજૂરી આપવા બદલ સૂત્રોચ્ચાર કર્યા, જે તેમનો દાવો હતો કે તે લોકશાહી વિરોધી અને લોકો વિરોધી છે. તેમણે રાજ્યપાલને VCને તેમની સામેના વિવિધ આરોપોની તપાસ પૂર્ણ થવા સુધી બરતરફ કરવા વિનંતી કરી. આંદોલનકારીઓએ રાજ્ય સરકારને VC વિરુદ્ધ તેના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધવા વિનંતી કરી. આંદોલનકારીઓને મળેલા ભાજપના એમએલસી એએચ વિશ્વનાથને ખાતરી આપી હતી કે તેઓ રાજ્યપાલ સમક્ષ આ મુદ્દો ઉઠાવશે.


Leave A Reply