(એજન્સી) તા.૨
મૈસુરમાં દલિત સંગઠનોના ફેડરેશનએ બુધવારે કર્ણાટક રાજ્ય ઓપન યુનિવર્સિટી (KSOU)ના વાઇસ ચાન્સેલર શરણપ્પા વી. હાલેસે સામે વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી છે. રાજ્ય સરકારના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને યુનિવર્સિટી પરિસરમાં હિન્દુત્વ વિચારધારા ધરાવતા દીનદયાળ ઉપાધ્યાય પરના એક કોન્ફરન્સમાં "મંજૂરી આપવા અને ભાગ લેવા" બદલ કુલપતિની બરતરફીની માંગણી સાથે દલિત સંઘર્ષ સમિતિ (DSS) અને દલિત વિદ્યાર્થી સંગઠનો સહિત વિવિધ દલિત સંગઠનોના સભ્યો મૈસુરમાં KSOUના એડમિનિસ્ટ્રેટિવ બ્લોકની સામે યોજાનાર વિરોધ પ્રદર્શનમાં જોડાશે તેવી અપેક્ષા છે. DSSનેતા અને ફેડરેશનના પ્રતિનિધિ ચોરનાલ્લી શિવાનાએ જણાવ્યું હતું કે ફેડરેશન કુલપતિને હટાવવાની માંગ સાથે અધિકારીઓને એક મેમોરેન્ડમ સુપરત કરશે. તાજેતરમાં KSOU કેમ્પસમાં આયોજિત કોન્ફરન્સનો હેતુ યુનિવર્સિટીના ઉદ્દેશ્યોને અનુરૂપ નથી, એમ તેમણે જણાવ્યું હતું.
દલિત સંગઠનો KSOU VCનીબરતરફીની માંગણી સાથે પ્રદર્શન કરશે
Gujarat Today
Leave A Reply